Breaking News : આતિશી સિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, AAP માં લેવાયો મોટો નિર્ણય

Breaking News : આતિશી સિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, AAP માં લેવાયો મોટો નિર્ણય

નમસ્કાર મિત્રો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે આતિશી સિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, આપ સૌ લોકોને ખબર જ હશે કે હમણાં જ અરવિંદ કેજરીવાલ બહુ જ મોટો નિર્ણય કર્યો હતો કે તે મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે, આવા સમયમાં ઘણા લોકોના મનમાં સવાલ હતો કે હવે દિલ્હીની સીટ ઉપર કોણ આવશે કે દિલ્હીના મુખ્યમંત્રી પદ ને કોણ સંભાળશે તો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને એક બહુ જ મોટો નિર્ણય લીધો છે તેના વિશે આજના આ લેખમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

મિત્રો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ આગામી મુખ્યમંત્રી તરીકે આતિશી સિંહના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વિશે તમામ ધારાસભ્ય ઊભા થઈને આ પ્રસ્તાવ સ્વીકારી લીધું હતું આતિશીને આમ આદમી પાર્ટી દિલ્હી લેજિસ્લેટિવ પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા બધાને ચોંકાવી દીધા હતા કે તેઓએ રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે બધા લોકોને કહ્યું હતું કે તેઓ આગામી બે દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે આ સાથે જ તેમને એમ પણ કહ્યું કે માત્ર તેઓ જ નહીં પરંતુ મનુષ્ય સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને ત્યારબાદ દિલ્હીના નવા મુખ્ય પ્રધાનને લઈને અટકાવવાનો સમય ગાળો શરૂ થઈ ગયો હતો.

Skip to PDF content

 

કેજરીવાલ મંગળવારે રાજીનામું આપે તેવી શક્યતા પછી સવારે 11:30 કલાકે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દળને બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નવા મુખ્યમંત્રી ના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે જ કેજરીવાલ સાંજે 4:30 કલાકે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે.

આમ આદમી પાર્ટીના નેતાઓને બોલાવીને એક સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો કે હવે દિલ્હીના મુખ્યમંત્રી પદ ઉપર કોઈને બેસાડવામાં આવે ત્યારે આતિશી નો પ્રસ્તાવ રાખવામાં આવ્યો અને આપના બધા જ ધારાસભ્યોએ આ પ્રસ્તાવની સ્વીકાર્યો ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશી બની શકે છે.

Leave a comment

PHP Code Snippets Powered By : XYZScripts.com